વિચારોના વમળમાં… / Vortex of Thoughts…

Mind plays games with us all… Don't we know that ???

પ્રિય મિત્રો,

તમને ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી સાહિત્ય રસિક મળે કે જેણે ગંગાસતીના ભજનો ન સાંભળ્યા હોય…! ખુબજ સાદા શબ્દોમાં જીવનની ગુઢતાને હૃદયસ્પર્શી રીતે વણીને ગંગાસતીએ તેમના ભજનોમાં મુકી છે…! આમ તો ગંગાસતી અભણ હતા… તેમણે ક્યાંય અક્ષર જ્ઞાન મેળવ્યુ ન હતુ… છતા પણ તેમણે લખેલા (ગાયેલા) એક એક ભજન પર ગુજરાતી સાહિત્યના અભ્યાસ કરનાર પી.એચ.ડીની આખે આખી થીસીસ લખી શકે એટલુ ગહન જ્ઞાન છુપાયેલુ હોય છે…!

આજે મારે ગંગાસતીના ખુબ જ લોકપ્રિય ભજન “મેરુ તો ડગે પણ જેના મન ન ડગે રે…” (આ ભજન સાંભળવા તથા તેના શબ્દો વાંચવા અહી ક્લીક કરો…) ની ચર્ચા કરવી છે…!

આ ભજનમાં મનની મક્કમતા અને મનોબળ કેવુ હોવુ જોઈએ તેની વાત કરી છે…! તમે કોઈ વાતનો નિર્ણય કરો અથવાતો નિર્ધાર કરો તો તેને કઈ રીતે પાર પાડી શકો અને કેટલા મજબુત મનોબળની જરુર પડૅ તે ગંગાસતીએ આ ભજનમાં ખુબ જ સૂદર શબ્દોમાં વર્ણાવ્યુ છે…!

મેરુ તો ડગે – મેરુ એટલે પર્વત… પર્વત જેવો પર્વત કે હિમાલય કે ગીરનાર જેવો પર્વત તેના સ્થાનથી ડગી જાય તો ભલે ડગી જાય પણ જે માનવીના મન અને મનોબળ ક્યારેય ડગતા નથી તેવા માનવીઓ આ જગતને બદલાવી શકે છે… ભલે આ આખુ બ્રહ્માંડ ભાંગી પડૅ અને જે થવુ હોય તે થાય પણ જે માનવીનુ મન નથી ડગતુ તે સમાજને બદલી શકે છે…! માર્ગમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે… અને માર્ગ જેટલો સરળ તેટલો તે દોષપુર્ણ હોવાની શક્યતા વધારે…! માર્ગની મુશ્કેલીઓથી અને વિપદાઓથી જે ગભરાતો નથી તે માનવી તેની મંઝિલ સુધી પહોચી શકે છે અને બીજાને પણ મંઝિલ સુધી પહોચવાની રાહ બતાવી શકે છે…!

અન્ય પંક્તિઓમાં ગંગાસતી ચિતની વૃતિને નિર્મળ રાખવાની વાત કરે છે… અને કોઈની પણ પાસેથી કોઈ પણ વસ્તુની આશા ન રાખવાની સલાહ આપે છે… જ્યાં સુધી તમારુ ચિત નિર્મળ નહી હોય ત્યાં સુધી વિચારોમાં નિર્મળતા ન આવે અને વિચારો દુષિત થાય એટલે બધુ જ દુષિત થાય… વળી, આશા એ તો દુઃખની માતા છે… આશા જ દુઃખને જન્મ આપે છે અને આશા અમર છે તો તે તમારા દુઃખને પણ ક્યારેય મરવા નહી દે…!

ગંગાસતી કહે છે સતસંગ કરો.. સતસંગ એટલે કે સતનો સંગ… સત્યનો સંગ… અને સત્ય શું છે? બ્રહ્મ સત્ય છે… જગત મિથ્યા છે… માયા છે… તો સત નો સંગ કરો… મિથ્યા વસ્તુઓનો સંગ છોડો… અલખને સાચા મનથી જો આરાધી શકો તો અલખ પોતે જ તમારે દ્વારે આવશે…!

અંતમાં ગંગાસતી સંગત કેવા વ્યક્તિની કરવી તેની સલાહ આપે છે… જે માનવી ભજનમાં ભરપુર હોય… જેણે સતનો સંગ કરેલો હોય… જેનુ મન મેરુ કરતા પણ વધારે અડીગ હોય તેવા માનવીની સંગત કરો તો તમે પણ તમારી ધારેલી મંઝિલે પહોચી જશો…!

આપ સૌના આ ભજન અને મારા લખેલા ટુકાં લેખ વિશેના આપના અભિપ્રાય જરુર અને જરુરથી અહી જણાવજો.

આભાર સહ

રાજીવ

Share

Roaming around world, having known more than one culture and beliefs, I sometimes feel that we humans are so similar and yet so different from each other!!! We have different sets of traditions and ideas about almost everything. We are different in our eating habits and our faith in some supreme power called GOD.

આ જગતમાં ભમતા ભમતા, અને એક થી વધારે સંસ્કૃતિઓ અને માન્યતાઓને નિહાળ્યા બાદ, મને ઘણીવાર એવુ લાગ્યા કરે છે કે
આપણે મનુષ્યો એકમેકથી કેટલા સમાન છીએ અને છતા એકમેકથી કેટલા અલગ અલગ છીએ!!! આપણે બધા અલગ અલગ માન્યતાઓ અને રીત-રસમ ધરાવીએ છીએ. આપણે ખાણી-પીણી, રહેણી કરણી અને શ્રધ્ધાની બાબતે એકમેક થી ખુબ અલગ છીએ.

Reincarnation is a topic which can create a well sought debate in almost all religions. It is related with your faith and when it comes to faith people have different ideas about it.

પુનઃજન્મ એ એક એવો વિષય છે કે જે લગભગ દરેક સંસ્કૃતિના લોકોમાં વિવાદ અને ચર્ચા ઉપજાવી શકે છે. પુનઃજન્મ એ શ્રધ્ધાને સંબંધી વાત છે અને તેથી જ તે વિશે લગભગ દરેક માનવ પોતાના અલગ વિચાર ધરાવે છે.

I am not sure, whether reincarnation is possible or not. Our Hindu culture and belief says that Reincarnation is true and we all have to reincarnate more than once to carry on with our good and bad KARMA, until and unless that account doesn’t reach to nil. If you have any good Karma left or you have some bad Karma left, you have to reincarnate to compensate the account.

મને ખબર નથી કે કોઈ અનુભવ પણ નથી, કે ખરેખર પુનઃજન્મ શક્ય છે કે નહી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં પુનઃજન્મને સ્થાન છે અને આપણે એવુ માનીએ છી એ કે પુનઃજન્મ શક્ય છે અને આપણે આપણા સારા અને ખરાબ કર્મોનો બદલો ચુકવવા માટૅ પુનઃજન્મ લેવો પડે છે. આપણે એકથી વધારે વખત જન્મ લઈને આ ધરતી પર આવવુ પડે છે કે જ્યાં સુધી આપણા કર્મની ગાગર ખાલી ના થાય. સારા અને ખરાબ બન્ને કર્મોનો બદલો લેવા માટૅ આપણે ફરી અહી આવવુ પડે છે એવુ આપણા શાસ્ત્રોમાં લખ્યુ છે…!

In Bhagavad Geeta, Shree Krishna says,

yada yada hi dharmasya glanir bhavati bharata
abhyutthanam adharmasya tadatmanam srjamy aham

paritranaya sadhunam vinasaya ca duskrtam
dharma-samsthapanarthaya sambhavami yuge yuge

Meaning: Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion–at that time I descend Myself. In order to deliver the pious and to annihilate the miscreants, as well as to reestablish the principles of religion, I advent Myself millennium after millennium.

ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યુ છે કે.

યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનીર્ભવતિ ભારત,
અભ્યુથાન્મધર્મસ્ય તદાત્માનં સૃજામ્હ્યમ
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે

અર્થઃ જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ધર્મ અને ધાર્મિક માન્યતાઓ ખાડામાં જાય છે (અહિત તરફ જાય છે), હે ભરત વંશજ, ત્યારે ત્યારે હું સાકાર રુપે પ્રગટ થાંઉ છું. સારા, સરળ અને સીધા મનુષ્યોના ઉધ્ધાર માટૅ, દુષ્ટો અને દુષ્કર્મીઓના નાશ માટે, ધર્મની અને ધાર્મીક માન્યાતાના ઉધ્ધાર માટૅ હું દરેક યુગમાં પ્રગટ થાંઊ છું

There are many other religion which has mentioned about reincarnation, and there are many which strictly believes otherwise. Science also has many cases where some human being knowing or remembering many facts from his/her previous life.

વિશ્વમાં અનેક બીજા એવા ધર્મો છે કે જે પુનઃજન્મમાં માને છે અથવા તો તે વાતને ટેકો આપે છે અને ઘણા એવા ધર્મો છે કે જે પુનઃજન્મનો ખુલીને વિરોધ કરે છે. વિજ્ઞાન પણ એવા ઘણા કિસ્સાઓ આપી શકે છે કે જેમા ઘણા મનુષ્યોને તેમના ગયા જન્મની વાતો અને ઘટનાઓ યાદ હોય.

But as I mentioned earlier it all depends on your faith. There are fair amount of chances that whole notion of reincarnation is just a mere try to forbid humans from doing bad Karmas. Bhagavad Geeta explains that not only if you have did very bad Karmas in this life, but even though you did very good Karmas in this life, you have to reincarnate.

પણ જેમ મે પહેલા કહ્યુ, આ બધુ તમારા વિશ્વાસ અને શ્રધ્ધા પર આધાર રાખે છે. એવુ પણ બને કે આ પુનઃજન્મની આખી વાત આપણા સાધુ સંતો એ લોકો ને ખરાબ કૃત્યો કરતા અટકાવવા માટે ઉપજાવી કાઢી હોય. ભગવદ ગીતામાં એવુ સમજાવવામાં આવ્યુ છે કે માત્ર ખરાબ કર્મો કરો તો જ પુનઃજન્મ થાય એવુ નથી, તમારે તમારા સારા કર્મોનુ ફળ લેવા માટે પણ પુનઃજન્મ લેવો પડતો હોય છે.

I will not write more on this topic as once again this topic is endless and cannot explain by myself alone. I would like you all to express your valuable thoughts and experience, if any.

હવે હું વધારે નહી લખુ, કેમકે આ વિષય પણ અવિરત ચાલ્યા કરે એવો છે અને હું એકલો તમને કદાચ કઈ ખાસ સમજાવી ન શકુ. હું આપ સૌના આ વિશેના વિચારો અને અનુભવો જાણવા ઉત્સુક રહીશ.

-Rajiv
-રાજીવ

Share
Powered By Indic IME